Wednesday, July 27, 2011

શ્રીઅમરનાથ યાત્રીઓ નું સન્માન...

યાત્રાને બધાજ ધર્મો માં ખુબજ અગત્યનું સ્થાન અપાયું છે, યાત્રા છે, પ્રભુ દર્શન અને પ્રભુ મિલન તરફ ની રાહ પર ના કદમો...
હિંદુ ધર્મ માં ભગવાન શિવ નો મહિમા અપાર વર્ણવવા માં આવ્યો છે, અને આપણા ભારત માં જ ભગવાન શિવ જ્યાં બર્ફાનીબાબા ના નામથી બિરાજિત છે, એવા શ્રીઅમરનાથ મહાદેવ નું જગવિખ્યાત બરફ નું શિવલિંગ, કે જેના દર્શન માટે કેટલીએ કઠીનાઈઓ ને માત આપ્યા બાદ હજ્જારો યાત્રાળુઓ જુન જુલાઈ માસ દરમ્યાન દેશ-વિદેશ થી આવે છે, આવી પવિત્ર પાવન યાત્રા થી પુનરાગમન કર્યા બાદ માનવી ના મન માં ભક્તિ-ભાવ ની હેલી વહે, અને જયારે આવા સમયે સત્સંગ થાય, તો એની મઝા જ કઈ ઓર હોય, મિત્રો...
ને આવોજ એક સત્સંગ કોઠારા માં યોજાયો, શ્રીઅમરનાથ યાત્રાએથી સુખપૂર્વક પ્રભુ આશીર્વાદ સહ પરત આવેલા ગામ ના જ કેટલાક વડીલમિત્રો નું સન્માન સાલ અને પ્રતીકચિહ્ન થી શ્રી પાળેશ્વર સેવક મંડળ ના સહિયારા પ્રયાસ થી કરવામાં આવ્યું.,
સાથે ભજન ની રમઝટ થી માહોલ બન્યો...............આ સાથે પ્રસંગ ની કેટલીક યાદગીરીઓ,
(ફોટો-ઘનશ્યામ,નિખીલ.)