

ધાંગધ્રા ની શાળા માં અભ્યાસ કરતો ૧૨ વર્ષ નો ૧ બાળક જયારે માં ના ઠપકા થી ગુસ્સે ભરાઈ ને સ્કૂલ જવાના બહાને ઘર છોડી ને ચાલ્યો, ૫ દિવસ લગાતાર ગુમ થઇ ગયા બાદ તે ગઈકાલે સાંજે કોઠારા ની નજીક આવેલા ભાનાડા વાડીવિસ્તાર માં આવેલા ખાલસાફાર્મ ના માલિક અમરજીતસિંઘ શીખ ને ત્યાં કોઈ રહેમદિલ ટ્રક ચાલક ની મદદ થી પહોચ્યો હતો. ત્યાર બાદ તેની સઘળી પૂછપરછ કરી તેની શાળા ના પ્રવીણસર નામક શિક્ષક ની મદદ થી અમરજીત સિંઘે તેના વાલીઓ ને જાણ કરતા આજે તેઓ કોઠારા આવી પહોચ્યા હતા. અને કોઠારા પોલીસ ની મદદથી સઘળી બાહેધરી મેળવ્યા બાદ એ બાળક રોહિત ને તેના વાલીઓ ને સોપવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ના રહેવાસી શિક્ષક્ કિશોરસિંહ જાડેજા અને પ્રબોધ ભાઈ મુનવર ની મદદ સાંપડી હતી.