Thursday, December 31, 2009

કોઠારા ગટરયોજના





કોઠારા ગટરયોજના નું કાર્ય પૂરેપૂરી ઝડપ માં ચાલી રહ્યું છે, જેની તસ્વીર.

Thursday, December 10, 2009

પંચવટી લોકાર્પણ














પંચવટી ના લોકાર્પણ પ્રસંગે યોજાએલ કાર્યક્રમો ની કેટલીક યાદગાર તસ્વીરો...(photo by raj pomal)

Tuesday, December 8, 2009

પંચવટી




તા. ૭ ના દિવસે કોઠારા ના સર્વ પ્રથમ લીટલગાર્ડન પંચવટી નું લોકાર્પણ કરવામાં આવ્યું, અને ગામ ની પાણીપૂરવઠા અને સંગ્રહ અંગે ની યોજના નો પાયો નંખાયો, સાથે સાથે આ યોજના સંદર્ભે દાન નો સહિયારો સાથ આપનારા દાતાશ્રીઓ અને વાસ્મો નું અભારદર્શન અને સન્માન કરવામાં આવ્યું...

Saturday, September 5, 2009

બાલિકાવધૂ






કલર્સ ચેનલ ની ભરપૂર લોક ચાહના મેળવી રહેલી ધારાવાહિક બાલિકા વધુ ની અભિનેત્રી અને કચ્છ ના અબડાસા તાલુકા ના વાડાપદ્ધર ગામ ની મૂળ વતની, જેને સહુ આનંદી ના નામ થી ઓળખે છે , તે અવિકા ગોર હાલ જ તા. 31 થી 3 ની વચ્ચે પોતાના માદરે વતન ની મુલાકાતે આવી ગયા. તેઓ વાડાપદ્ધર તથા કોઠારા માં આવેલા તેમના કૂળદેવી ના સ્થાને દર્શન માટે આવ્યા હતા. કોઠારા માં તેમણે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. મમ્મી અને પપ્પા સાથે અવિકા એ દર્શન કર્યા બાદ થોડી ખરીદી પણ કરી હતી. તા. 2 ના કોઠારા થી તેઓ માતાનામઢ થઇ ભુજ થી મુંબઈ જવા રવાના થયા હતા.....(પોસ્ટ ની તસ્વીરો ગૂગલ સર્ચ અને સંબંધિત વેબસાઈટ ને આભારી.)

Saturday, August 29, 2009

શ્રી ગણેશ ઉત્સવ 1




શ્રી ગણેશ ઉત્સવ







કોઠારા
કોઠારા માં ગણેશઉત્સવ ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને ભાવભક્તિ પૂર્વક થઇ, પહેલા દિવસે ગણપતિબાપા નું પૂજન અર્ચન તથા હવન ના વિધિ બાદ બીજા દિવસે, રાત્રે સર્વ ભક્તજનો એ ભજન ની રસલ્હાણ માણી, ત્યાર બાદ ત્રીજા દિવસે સંસ્કૃતિક કાર્યક્રમો માં નાના બાળકો ની અનેરી છટા એ બધાના મન મોહી લીધા, ત્યાર બાદ ચોથા દિવસે ભવ્ય રવાડી જેમાં ગણપતિબાપા મોર્યા ના નાદ થી કોઠારા ની શેરીઓ ગુંજી ઉઠી, અને રાત્રે વામાંસર તળાવ મધ્યે ગણપતિબાપા ની પ્રતિમા નું ભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. (પ્રસ્તુત પોસ્ટ ની કેટલીક તસ્વીરો માટે કચ્છમિત્ર પ્રેસ ફોટોગ્રાફર મનોજ સોની નો સહયોગ મળ્યો તે બદલ હૃદય થી તેમનો આભારી છું.) 

Friday, August 28, 2009

પીન્ગલેશ્વર






કોઠારા થી ૨૦ કિમી. દૂર આવેલ પિંગલેશ્વર નો રમણીય દરીયાકીનારો. 

Sunday, August 2, 2009

કોઠારા સમાચાર

કોઠારા
કોઠારા ગામની વર્ષોની અભીલાષા પૂરી થઇ હોય , તેવા કાર્ય ની શરૂઆત થઇ, તા. ૦૧/૦૮/૨૦૦૯ ના દિવસે કોઠારા ના ગ્રામ સફાઈ, પાણીના પ્રશ્ન નો નિકાલ થયો, આ દિવસે રૂ. ૧ કરોડ અને ૧૮૦૦૦ ના ખર્ચે વાસ્મો અને હાલ ના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ ભાનુશાળી,થતા લોકફાળા અને અન્ય સહયોગ થી ગટર યોજના નો પાયો નંખાયો.

Saturday, August 1, 2009

શ્રી પાળેશ્વર મહાદેવ

કોઠારા
ખુરશીસર તળાવ ના આરે આવેલું શ્રી પાળેશ્વર મહાદેવ નું સ્થાન જ્યાં નિત્ય સાંજે સત્સંગ થાય છે.

કોઠારા નુતન પ્રવેશદ્વાર

કોઠારા
ગામ ની પશ્ચિમ દીશા માં શ્રી કેસરીનંદન હનુમાનજી ના મંદિર સાથે આવેલ જખૌવાળો નાકો (લોક વાયકા પ્રમાણે ) જેનું પુનઃનિર્માણ થયું પછી ની તસ્વીર.

Wednesday, July 29, 2009

શ્રી બાલાજી મંદિર



કોઠારા
શ્રી બાલાજી મંદીર.

Tuesday, July 28, 2009

શ્રી કામેશ્વર મહાદેવ




કોઠારા
પવિત્ર શ્રાવણ માસ ની ભીની પ્રભાતે નાયરો નદી ને પાર કરી ને ભક્તો જયાં દર્શને જાય છે તે કામેશ્વર મહાદેવ નું મંદિર ભક્તજનો ની શ્રદ્ધા નું ચિહ્ન છે.

Saturday, July 25, 2009

વરસાદ માં તરબોળ કોઠારા








કોઠારા
તારીખ ૨૩ અને ૨૪ ના વરસેલા ધોધમાર વરસાદ ના પરીણામે કોઠારા ના કેટલાક વીસ્તારો માં પાણી ભરાયા હતા. અને નાયરો નદીપણ પૂર જોશ માં વહેવા લાગી હતી.