Monday, August 29, 2011

શ્રી ગણેશ મહોત્સવ્ ૨૦૧૧


*શ્રી ગણેશ મહોત્સવ્ ૨૦૧૧ ની તૈયારીઓ માં કોઠારા,
*તા.૦૧/૦૯/૨૦૧૧ થી મહોત્સવ્ નો પ્રારંભ,
સવારે
સ્વાગત સામૈયું
શ્રી ગણેશ સ્થાપના,
રાત્રે
સાંસ્કૃતિક કાર્યક્રમો
કચ્છી નાટક,

*તા.૦૨/૦૯/૨૦૧૧
સવારે
શ્રી ગણેશ મહાયજ્ઞ
(૧૦૦૮ લાડુ ની આહુતિ)
સાંજે
શ્રી મહા આરતી,
રાત્રે
ભવ્ય સંતવાણી
(શ્રી લક્ષ્મણ બારોટ,શ્રી જગમાલ બારોટ)

*તા.૦૩/૦૯/૨૦૧૧
ઢળતી બપોરે
ભવ્ય રવાડી .........

કોઠારા - વરસાદ ની સાથે સાથે...

THIS PHOTO-BY MANOJ SONI







તા. ૨૮ ની સાંજ થી આવી પહોચેલી મેઘસવારીએ મોડી રાત્રી સુધી વરસવાનું જારી રાખ્યું , અને સાથે ગાજવીજ ની પણ કોઈ કસર બાકી ન રહી, રાત્રી ના સમયે વિદ્યુત પૂરવઠો જે ખોરવાયો ,તેને પૂનઃ વહેતો કરવામાં ૨૪ કલાક જેટલો સમય લાગી ગયો, આ લખાય છે ત્યારે વામાંસર તળાવ માં આવ્ શરુ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આકાશી વીજળી એ કરેલા નુકશાન થી વીજતંત્ર ની ટીમ ૨૪ કલાક માટે અવિરત કામ માં પરોવાઈ હતી...આ સાથે કેમેરા માં કેદ થયેલ વરસાદ ની સંગાથે ગાજ-વીજ ની કેટલીક પળો આપ ની સમક્ષ........




Saturday, August 27, 2011

આર્ટ


રાજસ્થાની ચિત્રકારો એ બનાવેલ વોલ આર્ટ નો એક નમુનો જે કોઠારા માં જોવા મળ્યો...
(રાધાકૃષ્ણ )

Tuesday, August 16, 2011

શિવભક્તિ -રાષ્ટ્રભક્તિ

શ્રાવણી સોમવાર અને ૧૫ મી ઓગસ્ટ નો અનોખો મેલ આ વખતે બન્યો, અને કોઠારા શ્રી પાળેશ્વર મિત્ર મંડળે મંદિર સજાવટ ને શિવભક્તિ -રાષ્ટ્રભક્તિ ના રંગે રંગી ને સુંદર માહોલ બનાવ્યો.....(નોંધ- આ કૃતિ ૪ જાત ના ધાન્ય ના પ્રયોગ થી બનાવવામાં આવી છે.)

Wednesday, July 27, 2011

શ્રીઅમરનાથ યાત્રીઓ નું સન્માન...

યાત્રાને બધાજ ધર્મો માં ખુબજ અગત્યનું સ્થાન અપાયું છે, યાત્રા છે, પ્રભુ દર્શન અને પ્રભુ મિલન તરફ ની રાહ પર ના કદમો...
હિંદુ ધર્મ માં ભગવાન શિવ નો મહિમા અપાર વર્ણવવા માં આવ્યો છે, અને આપણા ભારત માં જ ભગવાન શિવ જ્યાં બર્ફાનીબાબા ના નામથી બિરાજિત છે, એવા શ્રીઅમરનાથ મહાદેવ નું જગવિખ્યાત બરફ નું શિવલિંગ, કે જેના દર્શન માટે કેટલીએ કઠીનાઈઓ ને માત આપ્યા બાદ હજ્જારો યાત્રાળુઓ જુન જુલાઈ માસ દરમ્યાન દેશ-વિદેશ થી આવે છે, આવી પવિત્ર પાવન યાત્રા થી પુનરાગમન કર્યા બાદ માનવી ના મન માં ભક્તિ-ભાવ ની હેલી વહે, અને જયારે આવા સમયે સત્સંગ થાય, તો એની મઝા જ કઈ ઓર હોય, મિત્રો...
ને આવોજ એક સત્સંગ કોઠારા માં યોજાયો, શ્રીઅમરનાથ યાત્રાએથી સુખપૂર્વક પ્રભુ આશીર્વાદ સહ પરત આવેલા ગામ ના જ કેટલાક વડીલમિત્રો નું સન્માન સાલ અને પ્રતીકચિહ્ન થી શ્રી પાળેશ્વર સેવક મંડળ ના સહિયારા પ્રયાસ થી કરવામાં આવ્યું.,
સાથે ભજન ની રમઝટ થી માહોલ બન્યો...............આ સાથે પ્રસંગ ની કેટલીક યાદગીરીઓ,
(ફોટો-ઘનશ્યામ,નિખીલ.)









Tuesday, June 14, 2011

કોઠારા સમાચાર

કોઠારા આઈ ટી આઈ માં પ્રવેશ માટે ની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે, ઇચ્છુક ઉમેદવારોએ આ વખત ના નવા નિયમ મુજબ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી આઈ ટી આઈ માં જમા કરાવવાના રહેશે, આ સાથે પ્રવેશફોર્મ ની લીંક અહી મુકેલ છે, જે આપને ઉપયોગી થશે...
http://itiadmission.guj.nic.in/

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૪/0૬/૨૦૧૧ સાંજે ૫ વાગ્યા સુધી, અને આઈ. ટી. આઈ. માં ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૮/0૬/૨૦૧૧ નિયત કરવામાં આવેલ છે, જેની વિશેષ નોંધ લેશો,

કોઠારા માં અમી છાંટણા

વૈશાખ અને જેઠ માસ ની ધોમ ખીલેલી તાપ ની મોસમ ને અનુભવ્યા બાદ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર માં છુટાછવાયા ઝાપટા પડતા પુષ્કળ તાપ માં શેકાયા બાદ થોડી રાહત મળી છે.ગઈકાલે બપોર બાદ કોઠારા માં પણ ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો, અંદાજે કલાકેક ચાલેલા વરસાદ થી વરસાદી પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણ માં મોડી સાંજે ઠંડક નો આહલાદક અહેસાસ વર્તાતો હતો, ઉલ્લેખનીય છેકે અરબીસમુદ્ર માં બનેલા હળવા દબાણ ના કારણે વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા ગત દિવસો માં કરવવામાં આવેલ હતી...