Monday, August 9, 2010

કોઠારા સમાચાર

:- કોઠારા માં યોજાયો ચર્મરોગ નિદાન કેમ્પ -:
કોઠારા સાર્વજનિક દવાખાના ના ઉપક્રમે કોઠારા તથા આસપાસ ના વિસ્તારો માટે ચર્મરોગ ના નિદાન અને સારવાર ને અનુલક્ષી ને કેમ્પ યોજાયો, જેમાં ૭૪ જેટલા દર્દીઓ એ ચિકિત્સા લીધી,અત્રે ઉલ્લેખનીય છે કે ચર્મરોગ માટે ના શ્પેસ્યાલીસ્ટ ડો.અબડાસા માં નહિ હોવાથી લોકો ને સારવાર માટે ભુજ નો સહારો લેવો. પડતો,અને કેમ્પ માં આવેલા દર્દી ઓ ની વિગતો તપાસતા અબડાસા માં આ પ્રકાર ના રોગો ની માત્રા બહોળા પ્રમાણ માં હોવાનું બહાર આવે તેવી સંભાવના જણાઈ છે.આ કેમ્પ નો બીજો રાઉન્ડ તા. ૨૨/૦૮ ના હોવાનું ૧ યાદી માં જણાવાયુ છે.

:- I.T.I માં પ્રવેશ અંગે -:
કોઠારા I.T.I. માં નવા સત્ર માટે નીચે જણાવેલ ટ્રેડ માં પ્રવેશ ચાલુ છે, તો રસ ધરાવતા વિદ્યાર્થીમિત્રો એ તા.૧૨/૦૮ સુધી માં પોતાના જરૂરી ડોક્યુમેન્ટસ સાથે કોઠારા I.T.I. નો સંપર્ક કરવા અરુણસિંહ સોઢા ની ૧ યાદી માં જણાવાયું છે.
*ટ્રેડ*
*ઈલેકટ્રીસિયન
*વાયરમેન
*ફીટર
સ્થળ:- I.t.I.કોઠારા
ખાદીગ્રામ-એગ્રોસેલ કંપાઉન્ડ ,
નલીયા-માંડવી હાઇવે ની પાસે,
કોઠારા - તા. અબડાસા, કચ્છ.

No comments:

Post a Comment